
– અબાલ-વૃદ્ધ સૌ વહેલી સવારથી જ ધાબા-અગાશીમાં ધામા નાંખશે
– દી આથમતા જ આતશબાજીની રોશનીથી આભ ઝળહળી ઉઠશે, બજારમાં મોડીરાત સુધી પતંગરસિયાઓની ભીડ રહી
ભાવનગર : પતંગરસિકોના પ્રિય પર્વ ઉત્તરાયણની આવતીકાલે બુધવારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. મકરસંક્રાંતિના પર્વે વહેલી સવારથી મોડી સાંજ સુધી ગોહિલવાડના ગગનમાં પતંગ યુદ્ધ ખેલાશે. આખો દિવસ મ્યુઝિક સિસ્ટમોમાં ગીતોની રમઝટ અને ચીચયારિઓ વચ્ચે ગોહિલવાડવાસીઓ પતંગ પર્વની સાથે દી આથમતા જ જાણે દિવાળીનો માહોલ જામી ગયો હોય તેમ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છતાં આતશબાજીની રોશનીથી આભ જગમગી ઉઠશે.
