
– સુએઝનો અખાત દર વર્ષે 0.5 મિલિમીટર પહોળો થઇ રહ્યો છે
– સુએઝનો અખાત વિસ્તરવાનું બંધ થઇ ગયો હોવાની સમજ ખોટી પડી, ભૂકંપ આવવાની સંભાવના વધી
નવી દિલ્હી : મહાસાગર પૃથ્વીની સપાટી પર ધીમે ધીમે થતાં પરિવર્તનોની અસર મોટી હોય છે. આફ્રિકા અને એશિયા ખંડને અલગ પાડતો સુએઝનો અખાત ૫૦ લાખ વર્ષ પહેલાં જ વિસ્તરવાનો બંધ થઇ ગયો હોવાનું માનવામાં આવતું હતું પણ હવે ચીનમાં થયેલાં સંશોધન અનુસાર સુએઝનો અખાત હજી દર વર્ષે ૦.૫ મિલિમીટર પહોળો થઇ રહ્યો છે.
