
Maharashtra Government Guidelines For Officers: મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સુશાસન અને જવાબદારી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી વહીવટી અધિકારીઓ માટે નવા અને કડક નિર્દેશો જાહેર કર્યા છે. મુખ્ય સચિવ રાજેશ કુમાર દ્વારા ગુરુવારે (20મી નવેમ્બર) જાહેર કરાયેલા એક સરકારી પરિપત્ર (GR)માં સ્પષ્ટપણે જણાવાયું છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ (સાંસદો અને ધારાસભ્યો)ને યોગ્ય માન આપવું એ વહીવટની વિશ્વસનીયતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
અધિકારીઓ માટે ફરજિયાત શિષ્ટાચાર
આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે શાસક પક્ષોના પ્રતિનિધિઓ સહિત કેટલાક ચૂંટાયેલા નેતાઓએ અધિકારીઓ તેમની સાથે મુલાકાત કરવામાં અને તેમના મુદ્દાઓને સંબોધવામાં અસમર્થતા પર નારાજગી વ્યક્ત કરી હતી. GRમાં અધિકારીઓ માટે આ ફરજિયાત નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
