
Indigo Crisis : છેલ્લા ચાર-પાંચ દિવસથી દેશભરમાં હવાઈ યાતાયાત સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે, જેમાં બજારમાં 60 ટકા હિસ્સો ધરાવતી ઈન્ડિગો એરલાઇન્સ સૌથી વધુ અસરગ્રસ્ત છે. નવા FDTL (ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન) નિયમોને કારણે ઈન્ડિગોની વ્યવસ્થા તૂટી પડતાં છેલ્લા ચાર દિવસમાં 2000થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે. દિલ્હી, મુંબઈ, પુણે, બેંગલુરુ અને કોલકાતા જેવા તમામ મુખ્ય એરપોર્ટ પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ વિવાદ વધુ વકર્યા બાદ હવે PMO તરફથી દેખરેખ શરૂ કરી દેવાઈ છે.
ઈન્ડિગોના કારણે હેરા થતા મુસાફરોની સ્થિતિ પર PMOની નજર
