
Indigo Airlines Crisis : દેશની અગ્રણી એરલાઈન ઈન્ડિગોમાં તાજેતરમાં ફ્લાઈટ્સ રદ થવા અને મેનેજમેન્ટની ગેરરીતિઓના કારણે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કડક પગલું ભર્યું છે. DGCAએ એરલાઈનના કામકાજ પર ચાંપતી નજર રાખવા માટે આઠ સભ્યોની એક વિશેષ નિરીક્ષણ ટીમની રચના કરી છે.
નિરીક્ષણ ટીમને સોંપાઈ આ જવાબદારી
બુધવારે DGCA દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, નિરીક્ષણ ટીમના બે અધિકારીઓ સીધા જ એરલાઈનના કોર્પોરેટ કાર્યાલયમાં તહેનાત કરવામાં આવશે. આ બે અધિકારીઓને એરલાઇનના કુલ વિમાનો, તમામ વિમાનોમાં નિર્ધારીત કરાયેલ અંતર, પાઈલોટની કુલ સંખ્યા, ક્રૂના ઉપયોગના કલાકો અને તાલીમ હેઠળના ક્રૂ વગેરેની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
