
– કાળુભાર નદીના પટના ઉત્તર-દક્ષિણ છેડાને જોડતો પૂલ 1958 માં બંધાયો હતો
– સત્વરે સમારકામ નહિ થાય તો પુલને નુકશાન થવાની ભીતિ, જાગૃત નાગરીકોમાં તંત્રની કાર્યપધ્ધતિની ટીકા
ઉમરાળા : ઉમરાળાની કાળુભાર નદીના પટના ઉત્તર-દક્ષિણ છેડાને જોડતો પૂલ ૧૯૫૮માં બંધાયો હતો. છેલ્લા અઢી દાયકાથી સમયાંતરે યોગ્ય મરામતના અભાવે પૂલના બંને છેડે આવેલ પ્રોટેક્શન વોલ હાલ જર્જરિત હાલતમાં છે અને તેમાં ગાબડાં પડવાની શરૂઆત થઈ છે.જો એ પ્રોટેક્શન વોલ તૂટી પડે તો સ્થાનિકો પર ખતરો ઉભો થાય તેમ છે અને પૂલ તૂટે તો કલ્પનાતીત દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે.
