
Apple To Protest Sanchar Saathi App: ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા એક નવો આદેશ આપવામાં આવ્યો છે કે ભારતના દરેક નવા મોબાઇલમાં હવે ‘સંચાર સાથી’ એપ્લિકેશન પહેલેથી ઇન્સ્ટોલ હોવી જોઈએ. આ આદેશનો વિપક્ષ વાંધો ઉઠાવી રહ્યાં છે અને એને પેગાસસની સાથે પણ સરખાવી રહ્યાં છે. જોકે આ તમામની વચ્ચે અમેરિકાની કંપની એપલ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ એપ્લિકેશનને ડિલીટ નહીં કરી શકાય એ વાતે જોર પકડતાં ટેલિકોમ મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે યુઝર જ્યારે ઇચ્છે ત્યારે આ એપ્લિકેશનને કાઢી શકશે.
એપલ દ્વારા કરવામાં આવશે વિરોધ
