
India-Bangladesh Controversy : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ થઈ છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે લગાવેલા આરોપોનો ભારતે કડક શબ્દોમાં જવાબ આપી કહ્યું છે કે, ‘ભારતે ક્યારેય પણ પોતાની જમીનનો ઉપયોગ બાંગ્લાદેશ વિરુદ્ધની ગતિવિધિઓ માટે થવા દીધો નથી અને અમે હંમેશા બાંગ્લાદેશમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓના પક્ષમાં રહ્યા છીએ.’
વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના આક્ષેપો નકાર્યા
ભારતના વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશની વચગાળાની સરકારના આરોપોને નકારી દીધા છે. મંત્રાલયે કહ્યું છે કે, ‘આ મુદ્દે ભારતની નીતિ પહેલા જેવી જ છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી.
