
– કેટલાયે કુશળ વસાહતીઓ અમેરિકાના કામદારોને કેટલાંયે સંકીર્ણ ઉત્પાદનો, બનાવતાં શીખવાડે છે તેઓ આવકાર્ય છે
વૉશિંગ્ટન : વસાહતીઓ અંગે કોરડો વીંઝ્યા પછી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને બ્રહ્મજ્ઞાાન લાધ્યું છે. વાત તેમ છે કે વિદેશોમાંથી વિશેષત: ભારતમાંથી આવતા કુશળ કારીગરોની સંખ્યા એકદમ ઘટી ગઈ છે. તેમજ ટેકનીશ્યનો,અને ઇજનેરો પણ આવતાં ઘટી ગયા છે. પરિણામે, અમેરિકાને કુશળ વ્યક્તિઓની ખેંચ પડી ગઈ છે. આથી પ્રમુખ ટ્રમ્પે તેઓની વસાહતીઓ અંગેની નીતિમાં યુ-ટર્ન લીધો છે.
