
Navy Chief Admiral Dinesh Tripathi: ભારતીય નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ આજે એક મહત્ત્વનું નિવેદન આપીને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ કરાયેલું ‘ઓપરેશન સિંદૂર’ હજી સમાપ્ત થયું નથી. એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું છે કે ‘ભારતીય નેવીએ ઉત્તરી અરબ સાગરમાં કેરિયર બેટલ ગ્રૂપ (INS વિક્રાંત સહિત) તહેનાત કર્યું છે, અને આક્રમક તહેનાતીથી પાકિસ્તાનને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું છે.’
