
Maharashtra Political News : મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે ચાલી રહેલા કથિત મતભેદોના રિપોર્ટ વચ્ચે એકનાથ શિંદેએ બુધવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે મુલાકાત કરી હતી. અટકળો છે કે, શિંદેએ BMC અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ સાથેના તણાવને લઈને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. ચર્ચા છે કે, શિંદે ફડણવીસથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, બંને પક્ષો સત્તાવાર રીતે આ બાબતનો ઈનકાર કરતા રહ્યા છે. હવે આ મામલે શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિંદે પર કટાક્ષ કર્યો છે.
