
નિખિલ સાથે કોઈપણ સંબંધનો ભારત સરકારનો ઈનકાર
નિખિલ ગુપ્તા દોષિત ઠરે તો ૪૦ વર્ષની કેદની સજા થઈ શકે, યુએસ સરકારે કોર્ટમાં ૨૪ વર્ષની સજાની માગ કરી
ન્યૂયોર્ક: ખાલિસ્તાની આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાંમાં સંડોવાયેલા આરોપી નિખિલ ગુપ્તાએ અંતે અમેરિકાની ન્યૂયોર્ક કોર્ટમાં પોતાનો ગૂનો કબુલી લીધો છે. તેણે કબૂલી લીધું છે કે પન્નુની હત્યા માટે તેણે અમેરિકાના એક કથિત ગુનેગારને સોપારી આપી હતી. તેની આ કબૂલાતે આંતરરાષ્ટ્રીય સ્તર પર સુરક્ષા એજન્સીઓ અને કૂટનીતિક ક્ષેત્રમાં હલચલ મચી ગઈ છે. જોકે, ભારત સરકારે ઘણા સમય પહેલા જ નિખિલ ગુપ્તા સાથે તેને કોઈ સંબંધ નહીં હોવાનું જણાવ્યું હતું.
