
India Wheat And Sugar Export : દેશમાં ઘઉંનું બમ્પર ઉત્પાદન અને ગોડાઉનોમાં બફર સ્ટોકને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે આજે 13 ફેબ્રુઆરીએ મોટો નિર્ણય લીધો છે. આ મુજબ ખાદ્ય મંત્રાલયે 25 લાખ ટન ઘઉં અને વધુ પાંચ લાખ ટન ખાંડની નિકાસ કરવા મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય, રવિ સિઝનમાં નવો પાક આવે તે પહેલા સ્થાનિક કિંમત જાળવી રાખવાનો અને ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ આપવાનો છે. આ સાથે પાંચ લાખ ટન ઘઉંની બનાવટના ઉત્પાદનની નિકાસને પણ મંજૂરી આપી દેવાઈ છે.
ખાનગી કંપનીઓ અને વેપારીઓ પાસે ઘઉંનો 75 લાખ ટન સ્ટોક
