
PM-Kisan Samman Nidhi: ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ખેતી અને ખેડૂતોના ઉત્થાન માટે ડિજિટલ ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે. ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ (AgriStack) અંતર્ગત હવે દરેક ખેડૂત ખાતેદાર માટે 11 આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ બનાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો ખેડૂતો આ રજિસ્ટ્રેશન નહીં કરાવે, તો આગામી સમયમાં પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો અટકી શકે તેવી શક્યતા છે.
શું છે ‘ફાર્મર આઈડી’ અને તેનો હેતુ?
જેમ નાગરિકોની ઓળખ માટે ‘આધાર કાર્ડ’ છે, તેમ હવે ખેડૂતોની ડિજિટલ ઓળખ માટે ‘ફાર્મર આઈડી’ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
