
Hamid Ansari Controversial Statement: દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીએ ફરી એક વખત વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેમણે કહ્યું છે કે ગઝ્નવી/ગઝની અને લોદી હિન્દુસ્તાની લૂંટારા હતા. તેઓ બહારથી આવ્યા ન હતા. રાજનૈતિક સુવિધાને ધ્યાનમાં રાખીને લોકો કહે છે કે તેમણે આ તોડી નાખ્યું, તે તોડી નાખ્યું, બધા હિન્દુસ્તાની જ હતા. ભાજપે હામીદ અંસારીના નિવેદન પર પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, શરજીલ ઈમામ અને ઉમર ખાલીદને યુવા નેતા કહેવાય વાળા હામીદ અંસારીએ હવે સોમનાથ મંદિર તોડનારા ગઝનીના વખાણ કર્યા છે.
