
Gujarat Politics: ગુજરાતમાં મહાનગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગે તે પહેલાં જ અનામતનો મુદ્દો ફરી એકવાર રાજ્ય સરકાર માટે પડકારરૂપ બની રહ્યો છે. પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સહિતના બિન-અનામત વર્ગોએ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10 ટકા EWS (આર્થિક રીતે નબળા વર્ગો) અનામત લાગુ કરવાની માંગ સાથે આંદોલનનાં મંડાણ કર્યાં છે.
શું છે મુખ્ય માંગણીઓ?
પાટીદાર નેતા વરુણ પટેલ અને અન્ય સામાજિક આગેવાનોએ સરકાર સામે મુખ્યત્વે બે મુદ્દાઓ રજૂ કર્યા છે.
