ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને દેત્રોજ પાસેથી ઝડપી લેવાયો

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદ, રવિવાર

શહેરના વાસણામાં રહેતા પવનસિંહ સોંલકી વિરૂદ્ધ ગુજસીટોક સહિતના ૧૨થી વધારે ગુના નોંધાયા હતા. પરંતુ, તે છેલ્લાં ઘણા સમયથી ફરાર હતો. ડીસીપી ઝોન-૭ સ્કવોડના સ્ટાફે બાતમીના આધારે દેત્રોજના ગુજાળા ગામમાં  સ્થાનિક પોલીસ સાથે દરોડો પાડીને પવનસિંહને ઝડપી લીધો હતો. 

વાસણા પ્રજાપતિ ગાર્ડન પાસે આવેલા રિદ્ધી એપાર્ટમેન્ટમાં રહેતા પવનસિંહ સોંલકી અને તેના ગેંગના માણસો વિરૂદ્ધ  પ્રોહીબીશન, હત્યાનો પ્રયાસ, લૂંટ સહિતના ૧૩ જેટલા ગંભીર ગુના નોંધાયા હતા.આ ઉપરાંત, વાસણા પોલીસે ગુજસીટોકનો ગુનો નોધ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *