છોટાઉદેપુર: ગ્રાન્ટ આપો સરકાર! ગરીબને રોજગારી આપતા કમર્ચારીઓનો 3 મહિનાથી પગાર અટક્યો

📅 Published: January 25, 2026 | 📂 Category: Uncategorized


Chhota Udaipur News: છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં મનરેગા યોજનામાં(આ યોજનાનું નામ હાલ જી રામ જી કરવામાં આવ્યું છે) 80થી વધારે કર્મચારીઓ ફરજ બજાવે છે પણ તેઓનો ત્રણ મહિનાથી પગાર થયો નથી,  છોટાઉદેપુર જિલ્લા પંચાયત ભવનમાં મનરેગા વિભાગની કચેરી આવેલી છે, જે કર્મચારીઓ લોકોની રોજગારી માટે કામ કરે છે તે કર્મચારીઓને પગાર ન મળવા પાછળનું કારણ સરકારનો અણધડ વહીવટ જવાબદાર છે. કારણ કે રાજ્યકક્ષાએ ગ્રાન્ટ પાસ ન થતાં ત્રણ મહિનાથી કર્મચારીઓનો પગાર અટકી ગયો છે જેમને દિવાળી પણ પગાર વિના વિતાવી હતી.

ઓકટોબર મહિનાથી પગાર નથી થયો!

છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી બોડેલી સંખેડા કવાંટ પાવીજેતપુર છોટાઉદેપુર કદવાલ સાત તાલુકા આવેલા છે જેમાં મનરેગા યોજનામાં 80 જેટલા ટેક્નિકલ આસિસ્ટન્ટ, એકાઉન્ટટ, રોજગાર સેવક ફરજ બજાવે છે તેઓનો ઓકટોબર મહિનાથી પગાર થયો નથી અને ઓછા પગારમાં ફરજ બજાવતા કર્મચારીઓની હાલત કફોડી બની છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *