
મંદિરના નવનિર્માણમાં જામસાહેબ દિગ્વિજયસિંહજીનું અનેરૂં પ્રદાન : સોમનાથ ટ્રસ્ટની રચના થયા બાદ સૌ પ્રથમ 1 લાખનું દાન આપ્યું : ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ બન્યા અને આજીવન આ પદ પર સેવા આપી
જામનગર, : હાલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાઇ રહી છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના અભૂતપૂર્વ પ્રદાન રહ્યું છે.સોમનાથના જીર્ણોદ્ધારમાં તેમનો ફાળો પાયાના પથ્થર સમાન રહ્યો છે.
ભારત આઝાદ થયા બાદ જ્યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ લેવાયો, ત્યારે સૌરાષ્ટ્રના રાજપ્રમુખ તરીકે મહારાજા દિગ્વિજયસિંહજીએ માત્ર શાસકની જ નહીં, પણ એક જાગૃત સંસ્કૃતિ રક્ષકની ભૂમિકા ભજવી હતી.
