
Jamnagar News : જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવવા માટે મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પ્રતિદિન કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને શહેરના ખાસ કરીને વોર્ડ નંબર -5 સહિતના વિસ્તારો તથા અન્ય મુખ્ય માર્ગો પર અવિરત દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી રેકડી પાથરણાવાળાઓને દૂર કરાવવામાં આવી રહ્યા છે. આ સાથે તેઓના માલ સામાન જપ્ત કરવામાં આવી રહ્યા છે. આ મામલે સ્ટ્રીટ વેન્ડરોએ નારાજગી વ્યક્ત કરી છે અને રેલી કાઢીને DMCને આવેદનપત્ર પાઠવ્યું હતું.

એસ્ટેટ વિભાગની દબાણ હટાવવાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ
