
Arvind Kejriwal in Gujarat: જામનગરમાં ગઈકાલે (5 ડિસેમ્બર) AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર થયેલા ‘જૂતા એટેક’ની ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં હાલ ગરમાવો ચરમસીમા પર છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે રવિવારે ગુજરાત આવી રહ્યા છે. તેઓ 7 ડિસેમ્બરે સાંજે રાજકોટ પહોંચશે અને ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં રોકાણ કરીને મહત્ત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે.
ગુજરાત AAPએ તેમના સંયોજકને આવકારવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
