
Junagadh News : ગિરનારની પવિત્ર ગોદમાં 11 ફેબ્રુઆરીથી શરૂ થયેલો મહાશિવરાત્રીનો ‘મિની કુંભ’ મેળો આજે (15 ફેબ્રુઆરી) તેના ઉતરાર્ધ તરફ આગળ વધ્યો છે. સમગ્ર ભવનાથ ક્ષેત્ર અત્યારે ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે શિવરાત્રીના પાવન પર્વે મેળાનો અંતિમ અને સૌથી મહત્વનો દિવસ છે. લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં નાગા સાધુઓ, વરિષ્ઠ સંતો અને મહામંડલેશ્વરોની ભવ્ય શાહી રવેડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
રવેડી: શૌર્ય અને ભક્તિનો સંગમ
