
Vadodara News: વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 22 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગત 9 જુલાઈના રોજ વડોદરામાં મહી નદી ઉપર આવેલા ગંભીરા પુલનો એક ગાળો ધરાશાયી થયો હતો. જેના કારણે પુલ પરનો વાહન વ્યવહાર બંધ થવાથી વાહનચાલકો તથા રાહદારીઓને ખુબ જ હાલાકી ભોગવવી પડતી હતી. આ પછી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત પુલના બાજુમાં નવીન પુલ બનાવવાની કામગીરી હાથ ધરી હતી, જેનું 22% સુધી કામ પૂર્ણ થયું છે. જ્યારે ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે સમારકામ કરી જૂનો ગંભીરા બ્રિજ શરૂ થશે.
