
મુંબઈ : અમેરિકા દ્વારા ભારત પરના ટેરિફમાં ઘટાડો કરાયા બાદ ગોલ્ડમેન સાચ્સે ભારત માટે બૃહદ્આર્થિક આઉટલુકને પોઝિટિવ રહેવાની અપેક્ષા વ્યકત કરી છે. ટ્રમ્પે કરેલી જાહેરાતના અમલથી ભારત પરના ટેરિફમાં ઘટાડો થશે અને તેને એશિયાના અન્ય દેશો જેના પર ૧૫થી ૧૯ ટકા ટેરિફ નાખવામાં આવ્યા છે તેની બરોબરીમાં લવાયા છે.
ટેરિફમાં ઘટાડાની દેશના આર્થિક વિકાસ દર પર શું ફરક પડશે તેનો અંદાજ મેળવવામાં જણાયું હતું કે આ ઘટાડો ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસમાં વાર્ષિક ધોરણે ૦.૨૦ ટકાનો ઉમેરો કરી શકે છે, એમ ગોલ્ડમેન દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.
