
– ટેક્નોલોજી એપ્લિકેશન ‘વૈશ્વિક’ અને ઓપન સોર્સ આધારિત હોવી જોઈએ
– સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારો એ કોઈ વિકલ્પ નહીં, પરંતુ જરૂરિયાત : પીએમ મોદી
જોહાનિસબર્ગ: દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં સતત વધી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીપફેક અને આતંકવાદમાં એઆઈના દુરુપયોગને માનવતા માટે ગંભીર જોખમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, એઆઈનો દુરુપયોગ ટાળવા ગ્લોબલ એઆઈ કોમ્પેક્ટ બનાવવા અપીલ કરી હતી. તેમણે ક્રિટિકલ ટેક્નોલોજીને નાણાકીય લાભનું સાધન બનાવવાના બદલે માનવ કેન્દ્રીત રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે સૂચન કર્યું કે, ટેક્નોલોજીનો વિકાસ ‘એક્સક્લુઝિવ મોડેલ’ના બદલે ઓપન સોર્સ આધારિત હોવો જોઈએ.
