
માધુપુર ગીર-સુરવા ગીર વચ્ચે ટ્રિપલ અકસ્માત
જાવંત્રી ગીરના કાકા-ભત્રીજા તાલાલાથી લગ્નની ખરીદી કરીને પરત જતા હતા, રિક્ષાચાલકને કાળ આંબ્યો, પત્ની-પુત્ર ઘાયલ
તાલાલા ગીર: તાલાલાથી દશ કિ.મી દુર માધુપુર ગીર-સુરવા ગીર ગામ વચ્ચે હનુમાનજી મંદિર પાસે આજે બપોરે બે વાગ્યા આસપાસ માતેલા સાંઢની જેમ ધસી આવેલા ટ્રકની અડફેટે છકડો રિક્ષા અને બાઈકનો બુકડો બોલી ગયો હતો. જે ભયાનક ત્રિપલ અકસ્માતમાં જાવંત્રી ગીર ગામના કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે માતા-પુત્રને ઈજા પહોંચી હતી. જે ગોજારા અકસ્માતના પગલે ગીર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.
