
India-Bangladesh Relations: બાંગ્લાદેશે 17મી ફેબ્રુઆરીએ તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હોવાના અહેવાલ છે. ઢાકાએ આ કાર્યક્રમ માટે 13 દેશોના નેતાઓને આમંત્રણ આપ્યું છે, અને ભારતને પણ જાણ કરવામાં આવી છે. જોકે, પ્રધાનમંત્રી મોદીની ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય મુલાકાત તે જ દિવસે મુંબઈમાં થવાની છે. તેથી, સંકેતો મળી રહ્યા છે કે વડાપ્રધાન ઢાકા જશે નહીં અને ભારત સરકારના વરિષ્ઠ પ્રતિનિધિ સમારોહમાં હાજરી આપી શકે છે.
મુંબઈમાં મોદી-મેક્રોન મુલાકાતને પ્રાથમિકતા?
