
બંને ગાયોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી
તળાવની ફરતે ફેન્સીંગના અભાવે અવારનવાર પશુઓ તળાવમાં પડી જતાં હોવાની ફરિયાદ
થાન – થાન શહેરમાં વાસુકી મંદિર પાસે આવેલા તળાવમાં અચાનક બે ગાય પડી જતાં ચકચાર મચી જવા પામી હતી. જે બનાવની જાણ થતા જીવદયા ગુ્રપના સભ્યોએ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ બન્ને ગાયોને તળાવની બહાર કાઢી જીવ બચાવ્યો હતો.
વાસુકી મંદિર પાસે તળાવમાં અકસ્માતે બે ગાય પડી ગઇ હતી.
