
Surat News: તમારાથી જ શ્રી ગણેશ! આ વાક્ય બરોબર સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા પણ લાગુ પડે છે. બનાવ એમ છે કે સુરત સેન્ટ્રલ ઝોનમાં અનેક દબાણ માફિયાઓ સક્રિય છે, જે મુદ્દે ધારાસભ્યએ જવાબદાર અધિકારીઓને ફરિયાદ કરી હતી. પણ નેતાજી એ ભૂલી ગયા હતા કે આ જ વિસ્તારમાં તેમની ભલામણથી પણ દબાણ થયું છે. પાલિકાએ પણ દબાણ સામે તાત્કાલિક કાર્યવાહી કરી પણ ધારાસભ્યની ભલામણથી ત્રણ વર્ષ પહેલા જે દબાણ થયું હતું તેના પર જ બૂલડોઝર ચલાવી દીધું, પછી શું, જોવા જેવી થઈ, વિપક્ષીઑને વિરોધનો મુદ્દો મળી ગયો અને રાજકારણ ગરમાયું.
