
મેળામાં દુર્ઘટના થાય તો જવાબદારી ન આવે તેવો પ્રયાસ : મેળામાં ઓછી સંખ્યામાં લોકો આવે અને વિસ્તાર તેની મૂળ સ્થિતિને બદલે લાંબો કરી દેવાથી અધિકારી સલામત થઈ જાય
જૂનાગઢ, : ભવનાથમાં મેળા માટે જગ્યા ટુંકી પડતી હોવાથી મેળામાં ભાવિકોની સંખ્યા ઓછી થાય તેવા બદઈરાદાથી તંત્ર દ્વારા તઘલખી નિર્યણો લેવામાં આવતા હોવાના આક્ષેપો સાથે ભાવિકો વસવસો વ્યક્ત કરી રહ્યા છે કે ઊચ્ચ અધિકારીઓ જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓને ડર છે કે, માત્ર 50,000 ચોરસ ફૂટ જગ્યામાં ભીડના કારણે કંઈક થાય તો જવાબદારી આવે, આવું ન થાય તેના માટે છટકબારીના ભાગરૂપે આવા રસ્તાઓ શોધી મેળાનો માહોલ બગાડવાનો પ્રયત્ન થતો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
ભવનાથ વિસ્તારમાં મેળા માટે 57 એકર જમીન રિઝર્વ જાહેર કરવામાં આવી હતી. દર વખતે મેળાની જમીનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
