દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત

📅 Published: November 30, 2025 | 📂 Category: Uncategorized

Delhi Fire news : દક્ષિણ દિલ્હીના તિગડી એક્સટેન્શન વિસ્તારમાં શનિવારે સાંજે ચાર માળના એક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગઈ છે. આગ એટલી ભયાવહ હતી કે તેણે જોતજોતામાં આખા મકાનને પોતાની લપેટમાં લઈ લીધું હતું.

કેવી રીતે આગ ભડકી? 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે લગભગ 6:15 વાગ્યે મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી જૂતાની દુકાનમાંથી આગની શરૂઆત થઈ હતી. દુકાનમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને તે ઝડપથી ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ, જેના કારણે અંદર રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો મળ્યો નહીં.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *