
Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકાર અનેક નવતર પ્રયોગ કરી રહી છે. હવે દિલ્હી સરકારની પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સમાં તંદૂરમાં પણ કોલસો-લાકડા બાળવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકારનો મોટો નિર્ણય
વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981 હેઠળ આ આદેશ કરાયો છે. આ સાથે તમામ હોટલ સંચાલકોને સ્પષ્ટ નિર્દેશ કરાયો છે કે, હવે તેમણે માત્ર ઇલેક્ટ્રિક કે ગેસ આધારિત તંદૂર અથવા અન્ય સ્વચ્છ ઇંધણ(Clean Fuel)ના વિકલ્પોનો જ ઉપયોગ કરવો પડશે.
