
Congress Leader’s Controversial Statement On Delhi Blast: અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં અને વિવાદોમાં રહેતા કોંગ્રેસ નેતા ઉદિત રાજે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આતંકવાદ પર નિવેદન આપતાં કોંગ્રેસ નેતાની જીભ લપસી ગઈ અને તેમણે આતંકવાદી હુમલાને આતંકવાદીઓનો “જલવો” ગણાવી દીધો. ઉદિત રાજે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, જ્યારે પણ કહેવામાં આવ્યું કે, આતંકવાદને દફનાવી દેવામાં આવ્યું છે, ત્યારે-ત્યારે આતંકવાદીઓએ પોતાનો જલવો દેખાડ્યો છે. તેમણે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો ઉલ્લેખ કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.
દિલ્હી બ્લાસ્ટ
