
Anil Agrawal News : વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલમાં તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમના પુત્ર અગ્નિવેશ અગ્રવાલના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુઃખની વચ્ચે, તેમણે પોતાનો એક મોટો નિર્ણય ફરીથી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. અનિલ અગ્રવાલે કહ્યું છે કે તેઓ તેમની 75% થી વધુ સંપત્તિ સામાજિક કાર્યો માટે દાન કરશે અને હવે પછીનું જીવન વધુ સાદગીથી જીવશે.
