
– ઈમરાનની હત્યાની અફવાએ પાક.માં ચક્રવાત સર્જ્યો
– ખૈબર પખ્તુનવાના મુખ્યમંત્રી અને ઈમરાનની પાર્ટી પીટીઆઈના નેતા ઈમરાનનાં બહેનો તથા વકીલોને પણ જેલમાં જવા દેવાતા નથી
નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની તંદુરસ્તી વિષે કોઈ આધારભૂત સમાચાર જ પ્રસિદ્ધ થતાં નથી. આ સાથે તેઓની રાવલપિંડી પાસેની કુખ્યાત અડીયાલા જેલમાં જ હત્યા કરાઈ હોવાની અફવાએ જોર પકડયું છે. આ સાથે ઈમરાનની પાર્ટી પીટીઆઈના સભ્યો તેના સમર્થકો અને સામાન્ય નાગરિકો સહિતના હજારો લોકો કલમ ૧૪૪ને પણ અવગણી અડીયાલા જેલ તરફે ધસી જતાં તેમને રોકવા પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હતો, તે પછી ટીયર ગેસ પણ નિષ્ફળ જતાં શૂટ-એટ-સાઇટ (દેખો ત્યાં ઠાર કરોનો હુકમ આપવો પડયો છે.
