
Chhattisgarh News: દેશભરમાં આજે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવણી થઈ રહી છે, ત્યારે છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાંથી દેશને ગૌરવ અપાવનારા સમાચાર સામે આવ્યા છે. દાયકાઓ સુધી માઓવાદીઓના ‘રેડ ટેરર’ નીચે દબાયેલા બસ્તર વિભાગના 41 ગામોમાં આઝાદી પછી પહેલીવાર પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી કરવામાં આવશે. આ ઘટના લોકશાહી અને ભારતીય બંધારણના વિજયનું પ્રતીક બની રહી છે.
કયા જિલ્લાના કેટલા ગામોમાં થશે ધ્વજવંદન?
બસ્તર રેન્જના આઈજી સુંદરરાજના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોની સતત કામગીરીને કારણે માઓવાદી પ્રભાવથી મુક્ત થયેલા નારાયણપુર જિલ્લો 18 ગામ, બીજાપુર જિલ્લાના 13 ગામ, સુકમા જિલ્લાના 10 ગામનો સમાવેશ થાય છે.
