
Religious Conversion: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એવા લોકોને શોધવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરુ કરવા જઈ રહ્યું છે જેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે, પરંતુ હજુ પણ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ લઈ રહ્યા છે. જ્યારે, ભારતીય બંધારણ સ્પષ્ટપણે જણાવે છે કે ફક્ત તે લોકો જે હિન્દુ, શીખ અથવા બૌદ્ધ છે તેઓ જ અનુસૂચિત જાતિ (SC)માં અનામત માટે પાત્ર બનશે. ઘણાં રાજ્યોમાંથી આવી ફરિયાદો મળ્યા બાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે આ દિશામાં પહેલ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં ઘણાં લોકો વિશે ફરિયાદો મળી છે કે તે અનુસૂચિત જાતિઓને આપવામાં આવતા અનામત લાભોનો અયોગ્ય લાભ લઈ રહ્યા છે.
અનામત લાભના દુરુપયોગ સામે કડક કાર્યવાહી
અહેવાલો અનુસાર, NCSC તમામ રાજ્ય સરકારોને રાજ્યના તમામ સરકારી વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓની સંપૂર્ણ તપાસ કરવા અને જાતિ પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે લખી રહ્યું છે.
