
– શહેરમાં ચૂસ્ત બંદોબસ્ત, સીસીટીવીથી મોનિટરિંગ કરાશે
– સંતરામ મહારાજની અખંડ જ્યોતના દર્શન માટે રાજયમાંથી લાખો ભક્તો ઉમટી પડશે
નડિયાદ : મધ્ય ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ નડિયાદ સંતરામ મંદિર ખાતે આજે માઘી પૂનમના પવિત્ર અવસરે પરંપરાગત રીતે ભવ્ય સાકરવર્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષો જૂની આ પરંપરાને પગલે આજે આખું નડિયાદ સંતરામમય બનશે. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવશે. આ મહોત્સવને લઈને મંદિર પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ સુરક્ષા અને વ્યવસ્થાના આયોજન કરી દેવામાં આવ્યા છે.
