
Narmada News: રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક આજે ભારે તોફાની બની હતી. વિકાસના કામોમાં વન વિભાગ દ્વારા કરવામાં આવતી આડખીલીને મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અધિકારીઓનો રીતસરનો ઉધડો લેતા બેઠકમાં લાંબો સમય સન્નાટો છવાઈ ગયો હતો.
“શું તમે આદિવાસી વિરોધી છો?” – મનસુખ વસાવા
સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવતા વન વિભાગના (DFO) અધિકારીઓ સામે આકરા પ્રહારો કર્યા હતા.
