
શહેરમાં પિકઅવર્સ દરમ્યાન ટ્રાફિક જામની સમસ્યા પહેલેથી જ વિકટ છે. તેવામાં આજે નવલખી મેદાન ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભક્તો રોજ ઉમટી પડતો અને બીજી તરફ વીઆઈપી મુવમેન્ટની તૈયારીઓ વચ્ચે ટ્રાફિકજામમાં લોકો ફસાયા હતા.
શહેરમાં ખાસ કરીને સાંજે શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિકજામની પરિસ્થિતી વચ્ચે વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા બે થી ત્રણ દિવસથી અકોટા દાંડિયા બજાર બ્રિજ ચાર રસ્તા આસપાસ ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, જે સાંજના પિકઅવર્સ દરમ્યાન વધુ વણસે છે.ટ્રાફિક જામના કારણે વાહનચાલકોનો કિંમતી સમય અને ઈંધણ બન્નેનો વ્યય થઈ રહ્યો છે.
