
New Labour Codes : કેન્દ્ર સરકારના નવા શ્રમ કાયદાને નોટિફાય કરવાની તૈયારીઓ વચ્ચે પગાર અને ટેક હોમ સેલેરીને લઈને કર્મચારીઓમાં જે મૂંઝવણ હતી, તે હવે શ્રમ મંત્રાલયે દૂર કરી છે. મંત્રાલયે બુધવારે કહ્યું છે કે, જે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (PF)ની કપાત રૂ.15,000ની મહત્તમ વેતન મર્યાદાના આધારે થાય છે, તેમના હાથમાં આવતા પગારમાં કોઈ ઘટાડો થશે નહીં.
મંત્રાલયે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, નવા શ્રમ કાયદાઓ લાગુ થયા પછી પણ PF કપાત રૂ.15,000ના આધારે જ થશે અને તેનાથી વધુ રકમનું કોઈપણ યોગદાન સંપૂર્ણપણે કર્મચારીની ઈચ્છા પર નિર્ભર રહેશે, તે ફરજિયાત નહીં હોય.
