વડોદરા,એક મહિના અગાઉ ઇજાગ્રસ્ત થયેલી પરિણીતાનું સારવાર દરમિયાન મોત થતા પિયર પક્ષ તરફથી સાસરીવાળા સામે આક્ષેપ કરવામાં આવતા પોલીસે તપાસ શરૃ કરી છે.
માંજલપુર સંજય પાર્ક સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષના ધરતીકાબેન નિશાંતભાઇ સાળુંકે ગત ૧૬ મી જાન્યુઆરીએ ઘરે પહેલા માળે ગેલેરીમાં કુંડાઓમાં પાણી છાંટતા હતા. તે દરમિયાન તેઓને પગ લપસતા તેઓ પડયા હતા. નજીકમાં જ પડેલું પતરૃં તેમના પેટમાં ઘુસી જતા ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે પરિવારજનો નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. ડોક્ટરે ટાંકા લઇને તેઓને રજા આપી હતી.
