
Indian Navy Sents 4 War Ships to Helps Sri Lanka: ભારતે ‘પાડોશી પહેલો સગો’ કહેવતની સાચું સાબિત કરી બતાવ્યું છે. વિનાશક વાવાઝોડા ‘દિતવાહ’ના કારણે શ્રીલંકામાં ભારે તારાજી સર્જાઇ છે. જેના કારણે શ્રીલંકા હજુ સુધી ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. આવી મુશ્કેલ ઘડીમાં પાડોશી દેશની મદદ કરવા માટે ભારતે ‘ઓપરેશન સાગરબંધુ’ શરૂ કરીને મોટી માત્રામાં મદદ પહોંચાડી છે અને હજુ વધુ મદદ પહોંચાડી રહ્યું છે. ભારતીય નેવીએ હવે INS ઘડિયાળ સહિત 4 યુદ્ધ જહાજોને શ્રીલંકાની મદદ માટે મોકલ્યા છે.
