
મુંબઈ : સખત નિયંત્રણ સાથેની ઓથોરાઈઝેશન યંત્રણા હેઠળ કેન્દ્રએ ઘઉંના લોટ તથા સંબંધિત પ્રોડકટસની મર્યાદિત નિકાસને મંજુરી આપી છે. જો કે આ ચીજવસ્તુઓ પરનો વિસ્તૃત નિકાસ પ્રતિબંધ ચાલુ રખાયો છે.
ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા જારી કરાયેલા એકસપોર્ટ ઓથોરાઈઝેશન હેઠળ આટા, મેંદા, રવા, હોલમિલ આટા તથા ઘઉંના લોટની એકંદરે પાંચ લાખ ટન સુધીની નિકાસને મંજુરી અપાશે. જો કે આ નિકાસ જારી કરાનારી ચોક્કસ શરતોને આધીન કરી શકાશે.
