
Surat News: સુરતમાં વસતા પાટીદાર સમાજે હવે સામાજિક કુરિવાજોને ડામવા માટે આધુનિક સમય મુજબ નવું બંધારણ લાગુ કરવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે, હાલમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજની વાડીમાં ભૂમિ પૂજનનો પ્રસંગ યોજાયો, જેમાં પાટીદાર અગ્રણીઓએ નવા બંધારણની વાતને ખુલ્લે ટેકો જાહેર કર્યો છે.
પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ હોય
બીજી તરફ પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ હોવી જ જોઈએ તે અંગે પણ હામ ભરી છે. પાટીદાર આગેવાનો સામુહિક રીતે જણાવ્યું કે, દીકરા-દીકરીઓ નાની ઉંમરમાં ખોટા પગલાં ભરી લેતા હોય છે, તેમની અને પરિવારની જિંદગી ન બગડે તે માટે કાયદો ઘડવાની જરૂર છે, જે દરેક સમાજ માટે ઉપયોગી બનશે.
