
Shriprakash Jaiswal News: ઉત્તરપ્રદેશના કાનપુરમાં શુક્રવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રીપ્રકાશ જાયસ્વાલની લાંબી અસ્વસ્થતા બાદ નિધન થઈ ગયું છે. આ દુઃખદ માહિતી કોંગ્રેસ મહાનગર અધ્યક્ષ પવન ગુપ્તા અને ગ્રામ્ય અધ્યક્ષ સંદિપ શુક્લાએ આપી. તેમણે જણાવ્યું કે, અચાનક તેમની તબિયત લથડી ગઈ હતી. તેમને કિદવઈ નગર ખાતે નર્સિંગ હોમ લવાયા હતા. અહીંથી કાર્ડિયોલોજી રિફર કરાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
