
– જિલ્લા પોલીસવડાએ પોલીસબેડામાં રહેલી બદી નાથવાની જરૂર
– ખુંટવડા અને ઘોઘા પોલીસ સ્ટેશનના બે પીએસઆઈ વિરૂધ્ધ ફરિયાદ દાખલ
ભાવનગર : બગદાણા પ્રકરણથી ચર્ચામાં આવેલી ભાવનગર પોલીસ સવાલોના ઘેરામાં આવી ચૂકી છે ત્યારે પોલીસની કામગીરી પર હવે સવાલો ઉઠવા પામ્યા છે. ખરેખર જિલ્લા પોલીસવડા બહારની ગુનાખોરી અને દારૂની બદીને ડામવામાં સફળ નિવડયા તેવામાં પોલીસ બેડાની ગુનાખોરી સામે આવી છે. તાજેતરમાંજ બે પીએસઆઈ સામે પોતાના જ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધયો છે તો બીજી તરફ બગદાણા પ્રકરણમાં ડીવાયએસપી સહિત બે પોલીસ ઇન્સ્પેક્ટર સામે તપાસની તલવાર લટકી રહી છે. હવે જિલ્લા પોલીસવડા પોલીસ બેડાંમાં વધી રહેલી ગુનાખોરી ડામી દેશે કેમ તે જોવું રહ્યું.
