પ્રશાંત કિશોરની મોટી જાહેરાત, ઘર સિવાય તમામ સંપત્તિ અને 90% કમાણીનું પાર્ટીને દાન

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


Prashant Kishor: બિહાર વિધાનસભા ચૂંટણીમાં 238 બેઠકો લડીને ઝીરો પર આઉટ થયેલી જન સુરાજ પાર્ટી (JSP)ના  નેતા પ્રશાંત કિશોરે પાર્ટી ચલાવવા માટે દિલ્હીનું એક ઘર છોડીને તમામ સંપત્તિ પાર્ટીને દાન કરવાની જાહેરાત કરી દીધી છે. પ્રશાંતે આ સાથે જ પોતાના આવનારા પાંચ વર્ષ સુધી સલાહ આપવાની બદલે કમાણીનો 90 ટકા ભાગ જન સુરાજને ડોનેટ કરવાની જાહેરાત કરી છે. પાર્ટીની હાર માટે ચંપારણના ગાંધી આશ્રમમાં 24 કલાકના પ્રાયશ્ચિત ઉપવાસ તોડ્યા બાદ પ્રશાંત કિશોરે 15 જાન્યુઆરીથી બિહારમાં નવેસરથી પાર્ટીનું અભિયાન શરૂ કરવાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, જન સુરાજી એક-એક વોર્ડમાં જશે અને સરકારી વચન પર અમલવારી કરાવશે. પાર્ટી મહિલાઓનું ફોર્મ ભરાવશે, જેથી તેમને 10 હજાર મળે અથવા બાદમાં મળનારા 2 લાખ રૂપિયા પણ સરકાર આપે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *