
Bagdana Case: ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા આજે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની બે કલાકની સઘન પૂછપરછ બાદ આખરે આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.
SIT ની કડક કાર્યવાહી: IG કચેરી છાવણીમાં ફેરવાઈ
