
– મુખ્ય સૂત્રધારની શનિવારે ધરપકડ કરાઈ હતી
– એસઆઇટીએ પોલીસના કાફલા સાથે માયાભાઈ આહિરના પુત્રને કોર્ટમાં રજૂ કર્યો
ભાવનગર : બગદાણામાં કોળી યુવાન પર થયેલા હુમલામાં આખરે મુખ્ય સૂત્રધાર જયરાજ આહિરને એસઆઇટીએ ગઈ કાલે ધરપકડ કરી હતી.અને આજે ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે મહુવાની કોર્ટમાં રજૂ કર્યો હતો.મહુવાની અદાલતે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
